" ટિચર્સ ટ્રેઇનિંગ"

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દર 15 દિવસે શિક્ષક ટ્રેઇનિંગનું આયોજન કરે છે જેમાં આજરોજની પ્રથમ સત્રની અંતિમ ટ્રેઇનિંગ હતી. જે ખૂબ જ મહત્વની અને વિદ્યાર્થીઓની પરીક્ષાલક્ષી હતી.
પ્રથમ સત્રમાં વકતાશ્રીઓ દ્વારા,
📘 શિક્ષકમાં કેવા ગુણો હોવા જોઈએ?
📙વિદ્યાર્થીઓ અને શિક્ષકનો સંબંધ કેવો હોવો જોઈએ?
📕પરીક્ષામાં વિદ્યાર્થીઓને કઈ રીતે રિવિઝન કરાવવું તે અંગે શિક્ષકોને માહિતગાર કર્યા હતા.
📃 દ્વિતીય સત્રમાં તમામ શિક્ષકોએ સારા પ્રેરણાદાયી પુસ્તકોનું વાંચન કર્યું હતું.
🖥 તૃતીય સત્રમાં લાગણીથી ભરપૂર મોટીવેશનલ વિડીયો કે જેમાં શિક્ષકનું સ્થાન કઈ જગ્યા પર છે તે અંગે અમિતાભ બચ્ચન દ્વારા વક્તવ્ય સાંભળ્યું હતું.
આજની આ ટ્રેઇનિંગની સુંદર તસવીરો...








Popular posts from this blog

12 કૉમેર્સ માર્ગદર્શન સેમિનાર

English literature Nitin Pithadiya